વાવડી ગામની નર્સરી પાસે નજીવી બાબતે ઝગડો થતા લાકડું અને જેક વડે માર મારી ઇજા કરનાર 2 વિરુદ્ધ ફરીયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા વાવડી ગામની નર્સરી પાસે થયેલી મગજમારીમાં લાકડાનો સપાટો અને ટોમી મારી ઇજા કરતા બે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે
મળતી માહિતી અનુસાર તારીખ 22 જાન્યુઆરીની રાતે 10 વાગે બનેલી ઘટના બાબતે ગીરીરાજસિંહ નવલસિંહ ગોહીલ (રહે.ગોપાલપુરા વ્રુદાવન ફળીયુ તા.નાંદોદ) એ આપેલી ફરીયાદ મુજબ તેઓ કરાઠા રોડ ઉપર આવેલા ખેતરે આંટો મારવા માટે ગયેલા અને આંટો મારી પરત આવતી વખતે વાવડીગામ તથા કરાઠા ગામની વચ્ચે આવેલ નર્સરી પાસે ધર્મેદ્રસિંહ જયદિપસિંહ રાઉલજી એક ટ્રક ના ડ્રાઇવર નિલેશભાઇ તડવી સાથે માથાકુટ કરતો હોય તેમણે કેમ આ ટ્રક ડ્રાઇવર સાથે માથા કુટ કરો છો તેમ પૂછતાં તેઓ ઉશ્કેરાઇ જઈ તેમ ગાળો બોલી બાજુમાં પડેલ લાકડાંના સપાટા વડે માર મારી તથા ધર્મરાજસિંહ યોગીરાજસિંહ ગોહીલએ ઉપરાણુ લઈ બાજુમાં પડેલ ગાડીમાંથી જેક લઈ માથામાં મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતારાજપીપળા પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.