આણંદ તાલુકાના રાસનોલ નજીક એક જ પરિવારના બે સભ્યોએ અગમ્ય કારણોસર સામુહિક આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામ્યો
આણંદ: તાલુકાના રાસનોલ ગામે એક જ પરિવારના બે સભ્યોએ સામુહિક આપઘાત કરી લેતા નાનકડાં ગામમાં ભારે ચકચાર મચી છે. જો કે આ પરિવારનો એક સભ્ય ઘટનાસ્થળેથી લાપત્તા હોવાની વાતને લઈ રહસ્ય ઘેરાયું છે.
આ બનાવ અંગે ખંભોળજ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. પોલીસને ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હાલ તો ખંભોળજ પોલીસે આ અંગે અપમૃત્યુની નોંધ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘરમાં તપાસ કરતા સ્થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં દેવુ જઈ જતાં તેઓ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ડીવાયએસપી બી.ડી.જાડેજો જણાવ્યું હતું કે, રાસનોલ ગામે બનેલ ઘટના અંગે કોઈએ આત્મહત્યા કરવા મજબૂર કર્યા કે પછી તેઓની હત્યા થઈ છે તે અંગે તપાસ કર્યા બાદ જ જાણકારી મળશે. હાલ તો પોલીસ દ્વારા રહસ્યમય રીતે ગુમ થયેલ રાજુભાઈ પટેલની તપાસ કરવામાં આવી રહી છે. તેઓ મળ્યા બાદ જ સમગ્ર ઘટના અંગે વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકશે તેમ તેઓએ ઉમેર્યું હતું.