ગુજરાત
News of Tuesday, 23rd February 2021

નરેન્‍દ્રભાઈ એ ગુજરાતી એવો ભાયડો છે કે તે કોંગ્રેસની એક પણ ધમકીઓથી ડરતો નથી : લઘુમતી વિસ્‍તારોમાંથી પણ લોકોએ ભાજપને ભરપૂર વોટ આપ્‍યા : સી.આર. પાટીલ

૬એ ૬ મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ધરખમ વિજય મેળવ્‍યા બાદ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે એક નિવેદનમાં જણાવ્‍યુ હતું કે, જનતાએ વડાપ્રધાન મોદીના વિકાસ કાર્યોને વખાણ્‍યો છે : આ ગુજરાતના સપુત જયારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે તેઓએ કહેલ કે ગુજરાતમાં સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવીશુ તે વખતે કોંગ્રેસે કહેલ કે એ શકય નથી : તેઓએ જણાવેલ કે રાજયમાં લઘુમતીઓના વિસ્‍તારમાંથી પણ ભાજપને જનતાએ ખોબલે ખોબલે મત આપ્‍યા છે.

(5:48 pm IST)