ગુજરાત
News of Thursday, 23rd June 2022

RSS પ્રેરણા પર કાર્યરત સંસ્કૃત ભારતી સંસ્થા દ્વારા સંસ્કૃત ભાષાનાં પ્રચાર માટે રાજપીપળામાં બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ ઉપર આવેલા ગાયત્રી મંદિરમાં સંસ્કૃત ભારતી સંસ્થાની ટીમ દ્વારા એક બેઠક યોજાઇ હતી જેમાં દેશભરમાં સંસ્કૃત ભાષાનાં પ્રચાર માટે આ સંસ્થાના સભ્યો દરેક જિલ્લામાં જઈ ગુજરાતી સહિત અન્ય ભાષા નો લોકો જેમ રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે તેમ નિયમિત રીતે સંસ્કૃત ભાષાનો પણ ઉપયોગ કરે એ માટે આ સંસ્થા દ્વારા દેશભરમાં શિબિર ચાલુ કરાયા છે જેમાં 10 દિવસના નિશુલ્ક શિબિર માં દરરોજ બે કલાક સંસ્કૃત ભાષા બોલવા માટે લોકોને તૈયાર કરાઈ છે જેમાં રોજીંદી વાતોમાં આ ભાષાનો ઉપયોગ કરાઈ તે માટે સંસ્થાનાં પ્રચાર પ્રમુખ શિરીષ ભાઈ ભેડસગાઉંકર અને ગુજરાત પ્રાંતનાં અધ્યક્ષ ડો. ક્રિષ્ન પ્રસાદ નિરોલા રાજપીપળા ખાતે આવ્યા હતા.

(10:28 pm IST)