ગુજરાત
News of Friday, 23rd September 2022

રાજ્‍યના વધુ ૧૬૯ પીએસઆઇની બદલીઃ રાજકોટના ૬નો સમાવેશ

અમરેલી, જામનગરના ચાર-ચાર, મોરબી અને સુરેન્‍દ્રનગરના ત્રણ-ત્રણ પીએસઆઇ સામેલઃ અમરેલી-જામનગરના બે પીએસઆઇને રાજકોટ સીટીમાં મુકાયાઃ ગ્રામ્‍યમાં નવા ૧૧ પીએસઆઇ આવ્‍યા

રાજકોટ તા. ૨૩: ચૂંટણી પહેલા પોલીસબેડામાં ચાલી રહેલા બદલીના ઘાણવામાં વધુ ૧૬૯ પીએસઆઇની બદલી થઇ છે. જેમાં રાજકોટના ૬ સહિત સોૈરાષ્‍ટ્રના ૨૫ પીએસઆઇનો પણ સમાવેશ થયો છે.
બદલીના જે ઓર્ડર નીકળ્‍યા છે તેમાં રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતાં છ પીએસઆઇ એમ. જે. રાઠોડ, આર. એસ. સાકળીયા, વી. સી. પરમાર, વી. એમ. ડોડીયા, બી. બી. કોડીયાતર અને આર. એન. હાથલીયાનો સમાવેશ થાય છે. જ્‍યારે અમરેલીના ડી. બી. ચોૈધરી, આર. કે. કરમટા, પી.એન. મોરી, ડી. સી. સાકરીયા, જામનગરના એસ. એમ. રાદડીયા, આર. એ. વાઢેર, સી. એમ. કાટેલીયા તથા એન. વી. હરિયાણીની બદલી થઇ છે. આ ઉપરાંત મોરબીના એચ. એમ. પટેલ, બી. ડી. જાડેજા, વી. બી. પીઠડીયાની બદલી પણ થઇ છે.
સુરેન્‍દ્રનગરના એસ. બી. સોલંકી, એમ. એચ. સોલંકી, ગીર સોમનાથના એમ. કે. મકવાણા, પોરબંદરના એચ. સી. ગોહિલ, વી. આર. ચોસલાન અને જુનાગઢના એ. બી. દંતાણી તથા રાજકોટ ગ્રામ્‍યના આર. કે. ચાવડાનો સમાવેશ થાય છે.
રાજકોટ શહેરમાં અમરેલીના ધવલ સાકરીયા અને જામનગરના નિશાંત હરિયાણીને મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યમાં જામનગરના પીએસઆઇ રાદડીયા, રાજકોટના પીએસઆઇ સાકળીયા, પરમાર, ડોડીયા, અમદાવાદના જયદિપસિંહ ઝાલા, કાનાભાઇ ચાવડા, કમલેશ ગલચર, પોરબંદરના હરદેવસિંહ ગોહિલ, વડોદરાના ધર્મેન્‍દ્ર રાખોલીયા, અમદાવાદ રૂરલના મહિપાલસિંહ ઝાલા, ભાવનગરના ઇન્‍દ્રજીતસિંહ જાડેજા અને મહેશ યાદવને મુકવામાં આવ્‍યા છે.

 

(11:24 am IST)