ગુજરાત
News of Friday, 23rd September 2022

આરોગ્‍ય કર્મચારીઓની હડતાલ યથાવતઃ સચિવાલય સંકુલમાં સુત્રોચ્‍ચાર-અટકાયત

(અશ્‍વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ર૩: છેલ્લા ઘણાય દિવસોથી આરોગ્‍ય કર્મચારીઓની સરકાર સામે લડત ચાલુ છે. આજે પણ સચિવાલય સંકુલ પાસે આરોગ્‍ય કર્મીઓ પોતાની માંગણીઓને લઇ સૂત્રોચ્‍ચાર સાથે સચિવાલય સંકુલમાં પ્રવેશ કરવાની તૈયારીઓ કરી હતી. પગારની વિસંગતતા દુર કરવા સહિતની માંગણી ન સ્‍વીકારય ત્‍યાં સુધી હડતાલ ચાલુ રાખ્‍યાનું જાહરે કર્યું છે. કર્મચારીઓની આ કાર્ય પધ્‍ધતિને પોલીસ બંદોબસ્‍તે નિષ્‍ફળ કરી હતી. આંદોલન કર્મચારીઓએ પોતાની માંગણીને લઇને આગળ વધવાની દિશામાં આગળ વધતા મોટી સંખ્‍યામાં કર્મચારીઓની અટકાયત કરવામાં આવી હતી. ત્‍યારબાદ પરિસ્‍થિતિ થોડી થાળે પડી હતી.

આરોગ્‍ય કર્મચારીઓના કહેવા મુજબ આ લડત જયાં સુધી ચાલુ રહેશે એમની માંગણીઓ સ્‍વીકારવામાં નહિં આવે. આવનારા દિવસોમાં ઉગ્ર લડતની તૈયારીઓ કરવામાં આવી છે.

(3:48 pm IST)