મોંઘવારી મુદ્દે તિલકવાડા તાલુકા કોંગ્રેસે જન જાગૃતિ અભિયાન અંતર્ગત પદયાત્રાના આયોજન સાથે પત્રિકાનું વિતરણ કર્યું
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મોંઘવારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જન જાગૃતિ અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરીને પત્રિકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે નંદોદ ધારાસભ્ય પી.ડી. વસાવા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રભારી માનસિંગભાઈ ડોડીયા ,અરવિંદભાઈ દોરવાલા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઇ વાળંદ સહિત તિલકવાડા તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ તિલકવાડાના ચાર રસ્તા APMC ઓફીસ પાસે થી નીચલી બજાર મઢી સુધી પદયાત્રા કાઢીને પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.
મોંઘવારી મુદ્દે દેશભરના લોકો માં રોષ ફેલાયો છે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ માં સતત વધારો થઇ રહ્યો છે તેની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોંઘવારી વિરુદ્ધ તારીખ 21 થી 25 નવેમ્બર દરમિયાન જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સોમવારે તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓ પદયાત્રાનું આયોજન કર્યું હતું. યાત્રામાં રાંધણ ગેસના બોટલ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના કટ આઉટ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો