રાજ્યમાં કોરોના કેસ ઘટ્યા : નવા 25 પોઝીટીવ કેસનોંધાયા : વધુ 26 દર્દીઓ સાજા થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક 10.091 : કુલ 8.16.831 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 3.67.046 લોકોનું રસીકરણ કરાયું
અમદાવાદમાં 9 કેસ, સુરત અને વડોદરામાં 6-6 કેસ, ભરૂચ, ગાંધીનગર, કચ્છ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 309 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 26 દર્દીઓ રિકવર થયા છે રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી છે રાજ્યમાં આજે કોરોનાના નવા 25 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 26 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.831 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.091 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 3.67.046 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.74.73.280 રસીકરણ સંપન્ન થયું છે રાજ્યમાં હાલ 309 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 લોકો વેન્ટિલેટર પર અને 305 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.831 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.091 થયો છે રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 25 કેસમાં અમદાવાદમાં 9 કેસ, સુરત અને વડોદરામાં 6-6 કેસ,ભરૂચ, ગાંધીનગર,કચ્છ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે |