'સુરેશ જોશી એકેડેમિક ચેર'ની સ્થાપનાઃ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા સંપાદિત પુસ્તક 'સુરેશ જોશીઃ અપ્રકાશિત લેખો, પત્રો અને મુલાકાતો'નું વિમોચન
ગુજરાત સાહિત્ય અકાદમી અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા
રાજકોટઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે 'સુરેશ જોશી એકેડેમિક ચેર'ની સ્થાપનાનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) અમી ઉપાધ્યાય, અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડયા (મો.૯૪૨૭૮ ૦૪૭૨૨), સુરેશ જોશીના દિકરા શ્રી પ્રણવભાઈ જોશી, ડો.માલા કાપડિયા મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમાં પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયા સંપાદિત પુસ્તક 'સુરેશ જોશીઃ અપ્રકાશિત લેખો, પત્રો અને મુલાકાતો'નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો.યોગેન્દ્ર પારેખ, ડો.ભાવિન ત્રિવેદી, ડો.જયેન્દ્રસિંહ જાદવે પ્રાસંગિક ઉદ્બોધન અને આભારદર્શન કર્યું હતું.