ગુજરાત
News of Tuesday, 23rd November 2021

વડોદરામાં અગમ્ય કારણોસર શ્રમજીવીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા ચકચાર

વડોદરા: પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર,મૂળ  દાહોદના અને છાણી રામાકાકા ડેરી પાસે આવેલી જયઅંબે માર્બલમાં કામ કરે છે.અને  ત્યાં જ ઓરડીમાં રહે છે.દિવાળીના તહેવારમાં તે પરિવાર સાથે વતન ગયો હતો.અને ગઇકાલે તે એકલો જ વતનથી  પરત આવ્યો હતો.રાતે અગમ્ય કારણોસર  તેણે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલકરવામાં આવ્યો હતો.પરંતુ,ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું છે.જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે,તેને પત્ની સાથે બોલાચાલી થઇ  હતી.

(5:58 pm IST)