News of Tuesday, 23rd November 2021
ગોંડલ હાઇવે પર બિલિયાળા પાસે અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મુખ્યમંત્રી : મૃતકોના વારસદારોને 4 લાખની સહાય આપવાની જાહેરાત
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોના આત્માની શાંતિની પ્રાર્થના કરી
અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમનાં શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 લોકોના આત્માની શાંતિની તેમણે પ્રાર્થના કરી છે.
ભુપેન્દ્રભાઈ પટેલે આ અકસ્માતમાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતક ના વારસદાર ને રૂપિયા 4 લાખની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવાની પણ જાહેરાત કરી છે
(10:33 pm IST)