News of Wednesday, 23rd November 2022
વડાપ્રધાન મોદી પાટીદારોના ગઢમાં સુરતના અબ્રામા રોડ ખાતે જનસભાને સંબોધન કરશે
વડાપ્રધાન મોદી એક સાથે 5 વિધાનસભા માટે પ્રચાર કરશે :ઓળપાડ, કરંજ, કામરેજ, વરાછા અને ઉત્તર બેઠક સામેલ
સુરત : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. સુરતના અબ્રામા રોડ ખાતે જનસભાને સંબોધન કરશે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન 27 નવેમ્બરના રોજ સભાને સંબોધન કરશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. સવા લાખથી વધુ કાર્યકર્તાઓ હાજર રહે તેવી સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એક સાથે 5 વિધાનસભા માટે પ્રચાર કરવાના છે. જેમાં ઓળપાડ, કરંજ, કામરેજ, વરાછા અને ઉત્તર બેઠક સામેલ છે.
(1:22 am IST)