શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ અંતર્ગત માંડલ ખાતે માતૃશક્તિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : માંડલમા પરાવાસ-મોટા રામજી મંદિર ખાતે શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ ને લઈને માતૃશક્તિ સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં માંડલ તાલુકા માંથી દેત્રોજ-સિતાપુર-દાલોદ-માંડલ આમ ચાર ગામો માંથી મહિલાઓ સંમેલનમાં જોડાયા હતા તથા માંડલ ગામના મહિલા સત્સંગ મંડળ અને દરેક જ્ઞાતિઓ ની મહિલા મંડળ અને એવા 110 મહિલા ઉપસ્થિત રહ્યા હતા
સંમેલનમાં રાષ્ટ્ર સેવિકા સમિતિના સૌરાષ્ટ્ર પ્રાંત નિધિ પ્રમુખ અંજનાબેન ગોવિંદભાઇ ટીંબડિયા એ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત બહેનોને શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિર્માણ નિધિ સમર્પણ મહાભિયાન ની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમા ઉમાબેન આચાર્ય રાષ્ટ્ર સેવિકા સમિતિ સુરેન્દ્રનગર જિલ્લા અને વિરમગામ જિલ્લા કાર્યવાહીકા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોએ ટીમ બનાવી દરેક ઘરે સંપર્ક કરવા માટેની યોજના બનાવવા મા આવી હતી.