News of Sunday, 23rd January 2022
નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર ચિંતિત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૧૧ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૦૪, ગરુડેશ્વર તાલુકામાં ૦૯, દેડીયાપાડા તાલુકામાં ૦૩, સાગબારા તાલુકામાં ૦૩ તથા તિલકવાડા તાલુકામાં ૧૦ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૪૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૪ દર્દી સારવાર હેઠળ દાખલ છે,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૨૧ દર્દી દાખલ છે. આજે વધુ ૧૪૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(10:06 pm IST)