ગુજરાત
News of Monday, 24th January 2022

નર્મદા જિલ્લામાં સોમવારે ૫૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં સોમવારે ૫૭ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૦૫ કેસ નોંધાયેલ છે ,નાંદોદ તાલુકામાં ૧૨, ગરુડેશ્વર તાલુકામાં ૦૯, દેડીયાપાડા તાલુકામાં ૦૧, સાગબારા તાલુકામાં ૧૮ તથા તિલકવાડા તાલુકામાં ૧૨ કેસ નોંધાયેલ છે. નર્મદા જિલ્લામાં આજે કુલ ૫૭ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ દાખલ નથી,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૩૩૭ દર્દી દાખલ છે. આજે વધુ ૧૦૫૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:35 pm IST)