કઠલાલ તાલુકાના પીઠઇ ગામની સીમમાં પીઠેશ્વરી મંદિર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
કઠલાલ:તાલુકાના પીઠઇ ગામની સીમમાં આવેલ પીઠેશ્વરી મંદિરની નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ બનાવ અંગે કઠલાલ પોલીસે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાજુભાઇ શર્મા અને દલપતસિંહ ડાભી બંને વ્યક્તિઓ કઠલાલ કામ અર્થે ગયા હતા.કામ પતાવી તેઓ મોટર સાયકલ પર પરત આવી રહ્યા હતા.તે સમયે પીઠઇ ગામની સીમમાં આવેલ પીઠેશ્વરી મંદિર નજીકથી પસાર થઇ રહ્યા હતા.
ત્યારે એક મોટર સાયકલના ચાલકે પોતાનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળના ભાગે અથડાવ્યુ હતુ.જેથી મોટર સાયકલ પર સવાર બંને વ્યક્તિઓને જમીન પર પટકાયા હતા.જેમાં દલપતસિંહને મોઢાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેમનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ.
જ્યારે રાજુભાઇને શરીરે ઇજાઓ પહોચી હતી.આ બનાવ અંગે રાજુભાઇ માણેકલાલ શર્મા રહે,સરસવણીએ કઠલાલ પોલીસ મથકે મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે કઠલાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.