રાજ્યમાં કોરોનાએ માથું ઉચક્યું :નવા 380 કેસ નોંધાયા : વધુ 296 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 4407 : કુલ 2,61,871 લોકોએ કોરોનાને હરાવ્યો : રાજ્યના 6 જિલ્લામાં એકપણ કેસ નહીં : વધુ 74,457 લોકોને રસી અપાઈ : કુલ 8,16,238 લોકોનું રસીકરણ કરાયું
રાજ્યમાં આજે અમદાવાદમાં 84 કેસ, વડોદરામાં 80 કેસ, સુરતમાં 64 કેસ, રાજકોટમાં 55 કેસ, જામનગરમાં 16 કેસ, ગાંધીનગરમાં 10 કેસ,જૂનાગઢ અને કચ્છમાં 7 કેસ, આણંદ,ગીર સોમનાથ, સાબરકાંઠા અને ખેડામાં 5-5 કેસ,કચ્છમાં 7 કેસ, આણંદ , ખેડા અને મહીસાગરમાં 6-6 કેસ, ગીર સોમનાથમાં 5 -5 કેસ નોંધાયા :રાજ્યમાં હાલમાં 1869 એક્ટિવ કેસ:જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ ફરી નવા કેસની સંખ્યા 300ને પાર પહોંચી છે આજે રાજ્યમાં કોરોનાના નવા 380 કેસ નોંધાયા છે જયારે આજે વધુ 296 દર્દીઓ રિકવર થયા છે
રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા સતત ઓછી થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે
રાજ્યમાં આજે કોરોનાના નવા 380 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે વધુ 296 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 2,61,871 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં મૃત્યુઆંક 4407 છે રાજ્યમાં રિકવરી રેટ 97,66 થયો છે
રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, જયારે બીજા તબક્કામાં વધુ કુલ 74,457 વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે, અત્યાર સુધીમાં રાજ્યમાં 8,16,238 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી
રાજ્યમાં હાલ 1869 એક્ટિવ કેસ છે, જેમાંથી 33 લોકો વેન્ટિલેટર પર અને 1836 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,61,671 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 380 પોઝિટિવ કેસમાં અમદાવાદમાં 84 કેસ, વડોદરામાં 80 કેસ, સુરતમાં 64 કેસ, રાજકોટમાં 55 કેસ, જામનગરમાં 16 કેસ, ગાંધીનગરમાં 10 કેસ,જૂનાગઢ અને કચ્છમાં 7 કેસ, આણંદ,ગીર સોમનાથ, સાબરકાંઠા અને ખેડામાં 5-5 કેસ,કચ્છમાં 7 કેસ, આણંદ , ખેડા અને મહીસાગરમાં 6-6 કેસ, ગીર સોમનાથમાં 5-5 કેસ નોંધાયા હતા