કાલે શ્રી સોમનાથ મહાદેવના દર્શને વિજયભાઇ રૂપાણીઃ વિકાસ કાર્યોનુ લોકાર્પણ
નવી ડીવાયએસપી કચેરી ફિલ્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ શ્રીરામ મંદિરથી કરશેઃ રાત્રી રોકાણ હોટલ સાગર દર્શનમાં
(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા. ર૪ : શ્રી સોમનાથ મહાદેવના દર્શને કાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવી રહ્યા છે. તેઓ સોમનાથ ખાતે રાત્રી રોકાણ કરશે.
કાલે શુક્રવારે સાંજે ૪ વાગ્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું હેલીકોપ્ટરમાં શ્રી સોમનાથ હેલીપેડ ખાતે આગમન થશે ત્યારબાદ મોટર માર્ગે શ્રી રામમંદિર ખાતે આગમન થશે. જયાંથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડીવાયએસપી ઓફિસ ફિલ્ટર પ્લાન્ટ સહિત અનેક વિધ વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.
ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાંજે ૭ વાગ્યા આસપાસ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને પૂજન-અર્ચન કરશે. ત્યારબાદ સોમનાથ ખાતે ભાજપના હોદ્દેદારો કાર્યકરો સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મિટીંગ યોજાશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાલે રાત્રી રોકાણ હોટલ સાગર દર્શનમાંં કરશે. અને શનીવારે સવારે શ્રી સોમનાથ ખાતેથી ગાંધીનગર જવા રવાના થશે.