ગુજરાત
News of Sunday, 24th October 2021

નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું, ડાયસ પર કે સ્ટેજ પર બેસવું નહીં: સી.આર.પાટીલ

ચૂંટણીના પરિણામો પછી પેજ કમિટીની તાકાતનું હવે ધારાસભ્યોને જ્ઞાન આવ્યુંહું સક્ષમ છું એટલે ટીકીટ મને જ મળવી જોઈએ તેવો ક્યારેય આગ્રહ રાખવો જોઈએ નહીં

 વાપીનાં પારડી વિધાનસભાના મતવિસ્તારમાં પેજ કમિટી, પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, પેજ કમિટીની વાતો આખા ગુજરાતમાં થઇ પરંતુ હવે આખા દેશમાં થાય છે. ઘણા રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો હવે ગુજરાત આવીને પેજ કમિટીના પાઠ ભણવા લાગ્યા છે અને આપણી પણ જવાબદારી છે કે પાઠ બરાબર ભણાવવા અને આપણે પણ એકડો બરાબર ઘૂંટી લેવો જોઈએ. પેજ કમિટી કોઈ તાકાત નથી. આ એક સિસ્ટમ છે, તાકાત તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જ છે. કાર્યકર્તાનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે તે ભાજપની મૂડી છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને દેશમાં સૌથી વધારે લીડથી વિજય મળ્યો છે, પરંતુ તેનું કારણ માત્ર અને માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જનતા પ્રત્યેની ભાવના અને લાગણી છે. આપણી બીજી મુડી કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે સંપર્ક કર્યો છે પ્રજાની ગેરસમજ અને મુશ્કેલીઓ કાર્યકર્તા દૂર કરી છે અને જો કોઈ ભૂલ થઈ હોય તો ઉમેદવાર વતી ઉમેદવારોને ખબર પણ ન હોય તે રીતે મતદાર પાસે માફી પણ માગી લે છે અને આગળથી આમ નહીં થાય તેની ખાતરી પણ આપે છે. હું કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિ સમજુ છું આપણા એક નિર્ણયથી નીચે પેજ સુધી પહોંચી જાય અને આ એક સિસ્ટમ કાર્યકર્તાઓની ફોજ છે. મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા અને ઉમેદવારોને મત આપવા માટે પ્રેરે અને સમજાવે અને વ્યવસ્થા કરે આ માત્ર સંગઠનથી જ થઈ શકે છે અને કાર્યકર્તાઓની મહેનતનું આ કારણ છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને નીચે કમિટી સુધી જઈને મતદાન કરાવવાની તાકાત ધરાવનાર આ સૌ આગેવાનો કાર્યકર્તાઓ છે આ બંનેનો સમન્વય આપણી પાસે છે એટલે અજય થયો છે અને આ અજય હોવો જરૂરી છે. ફોટો કેવો છે એના આધારે મતદાન થતું નથી. મતદાન માટે તમે કામ કેવું કર્યું છે એના આધારે થાય છે. મે મહેનત કરી જ નથી મહેનત કાર્યકર્તાઓએ કરી છે, મે માત્ર સિસ્ટમ આપી છે અને કાર્યકર્તાઓએ તેનું અનુકરણ કર્યું છે અને એના કારણે આ પરિણામ આજે જોવા મળી રહ્યું છે. 231 માંથી 205 તાલુકા પંચાયત, 31 માંથી 31 જીલ્લા પંચાયત, જેમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ સિંગલ ડીજીટમાં રહ્યું છે, 6 માંથી 6 મહાનગરપાલિકા પણ આપણે જીત્યા છીએ, 81 માંથી 75 નગરપાલિકામાં ભાજપાએ ભગવો લહેરાવ્યો છે. આ બધી જીતમાંથી સી.આર.પાટીલનો એક પણ મત નથી. સી.આર.પાટીલની કોઈ મહેનત નથી, મારું કોઈ યોગદાન નથી આ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી અને વિશ્વાસ અને કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે અને તેનો જશ કાર્યકર્તાઓને જ મળવો જોઈએ. પેજ કમિટીનો કાર્યકર્તા એક મતદાતા છે અને તેને કાર્યકર્તામાં રૂપાંતર કરી અને એક જવાબદારી આપણે આપી છે અને તે ચોક્કસ નિભાવે પણ છે.

(9:20 pm IST)