વડોદરા નજીક યાત્રાધામ કાયાવરોહણ નજીક મોટો મગર દેખાતા ભારે જહેમત બાદ પાંજરે પૂરવામાં આવ્યો
વડોદરા: નજીક આવેલા યાત્રાધામ કાયાવરોહણ ખાતે ગઇ મોડીરાતે શિકારી મગરને પાંજરે પુરવામાં આવ્યો હતો.
કાયાવરોહણ ખાતે તળાવમાં ત્રણ મહાકાય મગરોનો પડાવ હોવાના કારણે ગ્રામજનો દ્વારા જીવદયા સંસ્થા અને ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.મગરો બહાર રોડ પર મંદિર નજીક અને સિનિઅર સિટિઝનોની બેઠક સુધી આવી જતો હોવાની પણ વિગતો જાણવા મળી છે.
ગઇરાતે વડોદરાની સંસ્થાના કાર્યકરો મગરના રેસ્ક્યુ માટે પહોંચ્યા ત્યારે તેમની સામે જ મગર કૂતરાના બે ગલૂડિયાનો શિકાર કરીને તળાવમાં ચાલ્યો ગયો હતો.
રેસ્ક્યુ ટીમે તળાવ પાસે પાંજરુ મુક્યું હતુ અને ત્રણ કલાક રાહ જોયા બાદ સાડા પાંચ ફુટનો મગર તેમાં પુરાયો હતો.હજી આ તળાવમાં બીજા બે મગરો હોવાના કારણે ફરીથી કામગીરી કરવામાં આવનાર હોવાનું કાર્યકરોએ જણાવ્યું હતું.