અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બેફાન વાહન ચલાવવાના કારણોસર હિટ એન્ડ રન:માનસિક અસ્થિર 80 વર્ષીય શખ્સને કારે હડફેટે લેતા કમકમાટીભર્યું મોત
અમદાવાદ:પૂર્વ વિસ્તારમાં બેફામ વાહનો હંકારવાના કારણે હિટ એન્ડ રન તથા અસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે,નરોડા ગામમાં રહેતા અને માનસિક રીત અસ્થિર ૮૦ વર્ષના ઘરમાંથી બહાર નીકલી ગયા હતા અને રોડ ક્રોસ કરતા હતા આ સમયે કાર ચાલકની ટક્કરથી મોતને ભેટયા હતા, અકસ્માત કરીને કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે સરસુપરમાં આંબેડકર હોલ પાસે આજે સવારે બાઇક ડિવાઇડર સાથે અથડાતાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ કેસની વિગત એવી છે કે નરોડા ગામમાં અવની કોમ્પલેક્ષ પાસે વણકરવાસમાં રહેતા દિનેશભાઇ કાળીદાસ સુરતીયા (ઉ.વ.૮૦) પોતે માનસિક બિમાર હતા અને તેઓ તા. ૨૨ના રોજ રાતે ઘરેથી બહાર નીકળી ગયા હતા, પરિવારના સભ્યો રાતે ૧૨ વાગે શોધતા શોધતા નરોડા દહેગામ રોડ પર મુક્તિધામ પાસે તપાસ કરતાં કોઇક અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતાં ગંભીર હાલતમાં પડેલા હતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જી ટ્રાફિક ડિવિઝન પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તાપસ હાથ ધરી છે.