સુરતના ઉંઘના વિસ્તારમાં અગમ્ય કારણોસર આધેડે એસિડ ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા અરેરાટી
સુરત: શહેરના ઉધનામાં બુધવારે સાંજે ટેન્શનમાં આવીને આઘેડએ એસિડ પીને આત્મહત્યા કરી હતી. જ્યારે બીજા બનાવમા પત્ની પિયર ગયા બાદ ટેન્શનમાં આવી ગોપીપુરાના યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.
નવી સિવિલ થી મળેલી વિગત મુજબ ઉધનામાં મોરારજી વસાહતમાં રહેતા 45 વર્ષીય ગોવિંદભાઈ મછીન્ડ્ર આહિરે બુધવારે સાંજે ઘરમાં એસિડ ગટગટાવી લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
તેના સંબંધી એ કહ્યું હતું કે તે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની હતા તેમણે છેલ્લા કેટલાક સમયથી પહેલા પેરાલીસીસ તકલીફ ના લીધે તે બરાબર ચાલી શકતા ન હતા આ સહિતની બીમારીથી કંટાળી જઈને તેમણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે તેમને બે પુત્રી અને એક પુત્ર છે આ અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે.