News of Friday, 25th June 2021
નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૪૨૯૦ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૦૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા દશા ખડાયતાની વાડી પાસે ૦૧ કેસ સાથે જિલ્લામાં ૦૧ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૦૧ દર્દી સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૩ દર્દી દાખલ છે. આજ સુધી જિલ્લામાં કુલ ૪૨૩૬ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૨૯૦ પર પહોચ્યો છે.આજે વધુ ૮૬૫ સેમ્પલ ચકાસણી હેઠળ છે
(11:34 pm IST)