News of Friday, 25th September 2020
રાજયમાં મેઘરાજાનુ જોર ઘટયું : માત્ર ૧૬ તાલુકામાં ઝરમરથી ૨ ઈંચ સુધીનો વરસાદ
સવારથી સુરત અને નવસારી પંથકમાં હેત વરસાવતા મેઘરાજા
(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી,તા.૨૫: રાજય ભરમાં મેઘરાજાનુ જોર ઘટયાનુ જણાય છે જેને પગલે છેલ્લા ૨૪ કલાકમા રાજય ના માત્ર ૧૬ તાલુકામા ઝરમરથી ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે જેમાં ઓલપાડ ૫૬ મી.મી.માંડવી ૧૭ મિ.મી. અને વાંસદા ૧૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.આજે સવારે ૬ વાગ્યા થી લઇ ૧૦ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ના આંકડા ને જોઈએ તો જલાલપોર ૨૯ મી.મી.સુરત સીટી ૨૮ મી.મી. અને નવસારી ૧૭ મીમી વરસાદ નોંધાયેલ છે.
(12:54 pm IST)