News of Monday, 25th October 2021
દિવાળી પર્વે બજારમાં ખરીદીનો વધતો ધમધમાટ
ગુરુવારે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગની સાથે શુકનવંતી ખરીદી સાથે દિવાળી પર્વની ઝાકમઝોળ પણ શરૂ થશે.
અમદાવાદ : ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે દિવાળી-નવા વર્ષની ઉજવણીમાં થોડે ઘણે અંશે ફિક્કો માહોલ દેખાતો હતો. આ વર્ષે કોરોના કાબૂમાં આવવાની સાથે જ નિયંત્રણો હળવા કરી દેવાયા છે. જેને પગલે છેલ્લા એક અઠવાડિયાથી બજારમાં ખરીદીનો ધમધમાટ દેખાઇ રહ્યો છે. તેમાં પણ હવે આગામી ગુરુવારે 28 ઓક્ટોબરે ગુરુપુષ્યામૃત સિદ્ધિયોગની સાથે જ સોના, ચાંદી, ચોપડાની ખરીદી થશે. જેને પગલે બજારમાં હલચલ દેખાઇ રહી છે. શુકનવંતી ખરીદી સાથે જ દિવાળી પર્વની ઝાકમઝોળ પણ શરૂ થશે.
(12:43 pm IST)