News of Monday, 25th October 2021
ભરૂચથી જંબુસર જતા માર્ગ પર થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત : છ લોકોને ઇજા
અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો:ઇજા ગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા
ભરૂચથી જંબુસર જતા માર્ગ પર થામ ગામ નજીક ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 6થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઇજાગ્રસ્તોને 108ની મદદથી સારવાર અર્થે ખસેડાયા છે.
(9:36 pm IST)