News of Friday, 26th May 2023
SGVP દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું SSCનું ઝળહળતુ ૧૦૦ % પરિણામ
સુરેન્દ્રનગરના ઉપાધ્યાય ક્રિશ શાળામા પ્રથમ
અમદાવાદ તા.26 ગત માર્ચ માં લેવાયલ SSC પરીક્ષાનું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપી સંચાલિત દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયનું સંસ્કૃત માધ્યમનું ઝળહળતું ૧૦૦ ટકા પરિણામ આવેલ છે.
પાઠશાળામાં પ્રથમ નંબરે ઉપાધ્યાય ક્રિશ, દ્વિતીય નંબરે જોષી કેશવ અને તૃતીય નંબરે આવેલ વ્યાસ ગર્વ તેમજ તમામ સફળ વિદ્યાર્થીઓને શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, છાત્રાલય સંચાલક શાસ્ત્રી યજ્ઞવલ્લભદાસસજી સ્વામી, પ્રધાનાચાર્ય રામપ્રિયજી અને પાઠશાળાના આચાર્ય શ્રી અર્જનાચાર્યજીએ શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા હતા.
(12:08 pm IST)