ગુજરાત
News of Sunday, 26th September 2021

રાજપીપળાની નવદુર્ગા સ્કૂલ ખાતે ૧૯૮૯ - ૯૦ ના તાલીમાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નવદુર્ગા સ્કૂલ ખાતે સ્નાતક નઈ તાલીમ કેન્દ્ર ના ૧૯૮૯ - ૯૦ ના તાલીમાર્થીઓનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો,વર્ષો બાદ એકજ બેચના તાલીમાર્થીઓ ભેગા મળ્યા ત્યારે સૌએ હર્ષ ની લાગણી અનુભવી હતી આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ગુજરાત ના જુદા જુદા જુદા જિલ્લાઓ માંથી શિક્ષકો આવ્યા હતા ઉપરાંત મુંબઈથી પણ સ્નેહમિલન માં ભાગ લેવા માટે શિક્ષકો આવ્યા હતા ત્યારે વર્ષો પહેલા ની યાદો વાગોળી એકબીજાને સ્નેહથી મળ્યા હતા જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો અને કર્મચારીઓનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

આજના સમારંભ મુદ્દે કાંતિ ભાઈ પંડ્યા એ જણાવ્યું હતું કે જી.પી.ટી.સી રાજપીપલા માં આશરે ૪૦ જેટલા તાલીમાર્થી એ તાલીમ લીધી હતી આજે ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ માં રહેતા શિક્ષકો ભેગા થયા છે તેમજ અમને મદદરૂપ એવા મહાનુભવો નું આજે સન્માન કર્યું છે અને આ કાર્યક્રમ નું આયોજન કરવા બદલ પ્રકાશભાઈ માછી સહિત નાઓનો આભાર માન્યો હતો.

(10:02 pm IST)