અરવિંદ કેજરીવાલે અમદાવાદ ખાતે ગુજરાતના એક સફાઇ કર્મચારીને દિલ્હીમાં તેમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું : અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું
રાજકોટ : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કાલે અમદાવાદ ખાતે ગુજરાતના એક સફાઈ કર્મચારીને દિલ્હીમાં તેમના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું હતું.કેજરીવાલે અમદાવાદમાં સફાઈ કામદારો સાથે ટાઉનહોલ દરમિયાન આમંત્રણ આપ્યું હતું.
આજે હર્ષ (સફાઈ કર્મચારી)નો પરિવાર આખા પરિવાર સાથે દિલ્હી જવા રવાના થયો છે. અરવિંદ કેજરીવાલ મુસાફરીનો ખર્ચ ઉઠાવશે. હર્ષનો પરિવાર પંજાબ ભવનમાં રહેશે. હર્ષે અરવિંદ કેજરીવાલને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા તમે મારા ઘરે આવો, પછી અમે તમારા ઘરે આવીશું.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સવારે હર્ષ સોલંકી અને એમના પરિવારને ઘરેથી રિસીવ કર્યા અને અમદાવાદ એરપોર્ટ સુધી સાથે મૂકવા ગયા હતા. હર્ષ સોલંકી અને તેમના પરિવારને આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ યાત્રાની શુભકામના પાઠવી હતી. હર્ષ સોલંકી અને તેમના પરિવાર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવાર સાથે બપોરે ૧.૩૦ વાગ્યે ભોજન ગ્રહણ કર્યું હતું.