પાલનપુરમાં રખડતા પશુઓની પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી
પાલનપુર:શહેરમાં કેટલાક પશુપાલકો પોતાના પશુઓને શહેરમાં રખડતા છોડી મુકતા હોઈ ખોરાક ની શોધ માં પશુઓ જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારમાં ભટકતા હોય છે અને કેટલીક વાર લોકોને નુકશાન પણ પહોંચાડતા હોય છે જોકે શહેરમાં છેલ્લા કેટલાક સમય થી રખડતા પશુઓની સમસ્યા વકરતા આખરે નગરપાલિકા દ્રારા રાખડતા પશુઓને પાંજરે પૂરવાના કોન્ટ્રાક માટે ટેન્ડર પ્રકિયા પૂર્ણ કરવામાં આવતા આવનારા ટૂંક સમય માં કોન્ટ્રાકટર દ્રારા શહેરમાં રખડતા અને જાહેર માર્ગો પર અડિંગો જમાવતા પશુઓ પશુઓને પકડી માલણ દરવાજા ખાતે આવેલ ઢોરવાડા માં લઇ જવાશે જ્યા સાત દિવસ રાખ્યા બાદ આ પશુઓ ને ગૌ શાળા તેમજ પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે અને કોઈ પશુપાલક ઢોરવાડા માંથી પશુ લઈ જશે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.