ગુજરાત
News of Thursday, 25th November 2021

અમદાવાદ-વડોદરામાં વકરતો કોરોના : રાજ્યમાં નવા 31 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 32 દર્દીઓ સાજા થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી : કુલ મૃત્યુઆંક 10.092 : કુલ 8.16.920 લોકોએ કોરોનાને મ્હાત કર્યો : આજે વધુ 5.16.054 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 10, વડોદરામાં 8 કેસ, સુરતમાં 3 કેસ, જામનગર, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, ભરૂચ, ગીર સોમનાથ, પોરબંદર, અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 315 એક્ટીવ કેસ : શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 31પોઝીટીવ કેસ નોંધાયા છે આજે વધુ 32 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 31 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 32 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.920 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી  રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.74 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ  5.16.054 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 7.89.52.203 રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 315 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 લોકો વેન્ટિલેટર પર અને 309  લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.920 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી,,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.092 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 31 કેસમાં અમદાવાદમાં10 વડોદરામાં 8 કેસ, સુરતમાં 3 કેસ,જામનગર, કચ્છ અને નવસારીમાં 2-2 કેસ, ભરૂચ, ગીર સોમનાથ, પોરબંદર, અને રાજકોટમાં 1-1 કેસ નોંધાયો છે

(8:18 pm IST)