ગુજરાત
News of Saturday, 26th November 2022

વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો

 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે રોડ-શો થોડીવાર રોકાવ્યો :સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. વિરમગામમાં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે યોગી રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો.યોગી આદિત્યનાથે સુરક્ષા જવાનોને ઈશારો કરી પહેલા એમ્બ્યુલન્સ ઝડપથી પસાર કરાવી હતી. જે બાદ યોગી આદિત્યનાથનો રોડ-શો નિયત રૂટ પર આગળ વધ્યો હતો

(7:57 pm IST)