સીદી સામરપાડા ગામે ST બસ પલ્ટી ખાતા મુસાફરોને ઇજા:પંચાયત પ્રમુખ પર્યુશાબેન તાત્કાલિક ઘટના સ્થળે
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સામરપાડા સીદી ગામ પાસે એસટી બસ પલ્ટી જતાં બસમાં બેઠેલા મુસાફરો ને ઈજાઓ થયા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા જેમાંથી કેટલાકને ગંભીર ઈજાઓ થતા વડોદરા રિફર કરાયા છે
પ્રાપ્ત માહિતી અનુસાર બેડવાણ ગામથી અંકલેશ્વર જતી એસટી બસ સામરપાડા સીદી ગામ પાસે પહોંચતા પૂરપાટ જતો એક બાઈક ચાલક વચ્ચે આવી જતા બસના ચાલકે બાઈક ચાલકને બચાવવા જતા અકસ્માત થયો જેમાં બસ માર્ગ પર પલ્ટી ગઈ હતી જેમાં બાઈક ચાલક અને બસમાં બેઠેલા મુસાફરો પૈકી 50થી વધુને ઈજાઓ થતાં દેડીયાપાડા બાદ રાજપીપળા સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જોકે આ ગંભીર ઘટનાની જાણ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા ને થતાં તેઓ તમામ મિટિંગ પડતી મૂકી ઘટના સ્થળે પહોંચી મદદરૂપ બન્યા હતા.