ગુજરાત
News of Tuesday, 27th July 2021

અમદાવાદના નારોલમાં મૂર્તિકાર પાસે ૫ લાખની ખંડણી માંગીને ફાયરીંગ

રાજકોટ, તા. ૨૭ :. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાણે કે કથળી રહી હોય તેમ લાગી રહ્યુ છે. શહેરમાં એક પછી એક એમ વીસ દિવસમાં હત્યાના ૮ બનાવો બન્યા હતા. બાદમાં વસ્ત્રાપુરમાં કરોડોની લૂંટનો પ્રયાસ અને હવે નારોલમાં ખંડણી માટે મૂર્તિકાર પર ફાયરિંગનો બનાવ બનવા પામ્યો છે. ગુનેગારોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ લાગી રહ્યું છે.

અમદાવાદના નારોલ વિસ્તારમાં કાલે મોડી સાંજે ફાયરીંગની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રામદેવ એસ્ટેટમાં મૂર્તિ બનાવતા ૫૫ વર્ષીય મૂર્તિકાર પરમસુખ પ્રજાપતિને બે દિવસ અગાઉ નનામો ફોન કરીને પાંચ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી.

૨૩ તારીખે મળી ધમકીને લઈને મૂર્તિકારએ ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદી એ ખંડણી માટે ધમકી આપનાર વ્યકિતનું નામ પૂછયુ તે ગબ્બર બોેલી રહ્યો હોવાનું જણાવ્યુ હતું. મૂર્તિકારને હતુ કે કોઈ મજાક મસ્તી કરી રહ્યુ છે.

(4:09 pm IST)