ગુજરાત
News of Thursday, 27th August 2020

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો : ઉપરવાસ માં વરસાદ બંધ થતાં પાણી છોડવાનું બંધ રખાયું

ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી : 200 મેગાવોટ નું એક વિજ મથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો હતો ઉપરવાસ માંથી 96558 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 129.73 મીટરે પહોંચી હતી.

સરદાર સરોવર નર્મદા ડેમ ના જળસ્તર માં સતત વધારો નોંધાઇ રહ્યો હતો પરંતુ બુધવારે ઉપરવાસ માં વરસાદ બંધ થતાં ડેમ માં પાણી છોડવાનું માંડી વાળ્યું હતું આમ તો ડેમ ની મહત્તમ સપાટી 138.68 મીટર છે.અને બુધવારે બપોરે ડેમ ની સપતિબ129.73 મીટર જેવી પહોંચી હતી.

હાલ રિવરબેડ પાવર હાઉસ નું 200 મેગાવોટ નું એક વિજ મથક ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરાયું છે.ડેમમાંથી 6604 ક્યુસેક પાણી નો આઉટ ફ્લો નોંધાયો છે.

● : નર્મદા ડેમ ના મુખ્ય ઈજનેર કાનુંગા ના જણાવ્યા મુજબ મંગળવારે ઉપરવાસ માં ભારે વરસાદ હોવાના કારણે બુધવારે ડેમ માંથી પાણી છોડવા જાહેરાત કરી હતી પરંતુ ઉપરવાસ માં વરસાદ બંધ થઈ જતા ડેમ માં પાણી ની આવક ઘટવા માંડી હોય આજે પાણી નથી છોડયું.

(8:49 pm IST)