ગુજરાત
News of Thursday, 27th August 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં મોડર્ન લાઈફ સ્ટાઇલ પસંદ ન હોવાથી બેન્ક મેનેજરની પત્નીએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં રહેતી બેન્ક મેનેજરની પત્ની મનીષાબહેન આર.પંચારીયાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. ધાર્મિક વૃતિના મનીષાબહેનને મોર્ડન લાઈફ સ્ટાઈલ અનુકુળ ન આવતા પોતે આ પગલું ભર્યું હોવાનું ઘરમાંથી મળેલી ડાયરીમાંથી જાણવા મળ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

વસ્ત્રાપુરમાં આલ્ફા વન મોલ પાછળ સરકારી વસાહત પાસે કાસા વ્યોમ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષાબહેન રાકેશખુમાર પંચારીયા (૪૭)એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો લગાવીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મનીષાબહેનના પતિ બેન્ક ઓફ ઈન્ડીયામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ૨૫ ઓગસ્ટના રોજ સવારે  ૧૦  વાગે રાકેશકુમાર નોકરી પર જવા રવાના થયા હતા. તે સમયે મનીષાબહેન અને તેમની ૧૯ વર્ષની દિકરી ઘરમાં હાઝર હતા. દરમિયાન મનીષાબહેને હું બે કલાક પુજા કરૃ છું માટે મને કોઈ ડિસટર્બ ન કરતા કહીને પુજા રૃમનો દરવાજો બંધ કરી દીધો હતો.

(6:16 pm IST)