વડોદરા:લગ્નના ત્રણ જ મહિનામાં પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતા પત્નીએ ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વડોદરાઃ લગ્નના ત્રણ વર્ષના ગાળામાં જ પતિ-પત્ની વચ્ચે અણબનાવ બનતાં પત્નીએ ફિનાઈલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે પતિ તેમજ સાસુ-સસરા સામે ગુનો નોંધી તપાસ હાથ છે.
પરિણીતાએ પોલીસને કહ્યું છે કે, છાણીના દર્શન દિલીપભાઈ સાથે મારા લગ્ન થયા બાદ બીજા જ દિવસે પતિએ ગેરવર્તણૂક કરી હતી અને તું મને ગમતી નથી મારે લગ્ન કરવા ન હતા પરંતુ માબાપ ના કહેવાથી લગ્ન કર્યા છે...તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું.પરિણીતાએ એવો આક્ષેપ કર્યો છે કે,પતિ નોકરી પરથી મોડે ઘેર આવતા હતા અને મને મારા ચારિત્ર્ય પર શંકા કરી ઘરની બહાર જવા દેતા નહતા.સાસુ-સસરા પણ પતિને સાથ આપતા હતા.લગ્ન પ્રસંગે એકલી મોકલવામાં આવતી હતી અને ત્યારબાદ આક્ષેપો કરી ધમકાવવામાં આવતી હતી. પતિ છૂટાછેડા માટે વારંવાર ધમકી આપતો હતો.
પરણીતાએ જણાવ્યું છે કે, સાસરીયા અવારનવાર કહેતા હતા કે,તું કાંઈ લાવી નથી.મારા છોકરાને બીજે પરણાવ્યો હોત તો કેટલાય દાગીના અને રૃપિયા મળ્યા હોત.ગઈ તા.૬ માર્ચે હું મારી બહેનને મુકવા માટે સ્કૂટર પર ગોત્રી ગઈ ત્યારે પતિએ પીછો કર્યો હતો અને જાહેરમાં આક્ષેપો કરી ગાળો ભાંડી હતી તેમજ મારો ફોન પણ લઇ લીધો હતો.પતિએ લાગણી દુભાય તેવા શબ્દો ઉચ્ચારી તું મરીજા... તેમ કહેતાં મેં ફિનાઇલ પી લીધું હતું. છાણીની ખાનગી હોસ્પિટલમાંથી રજા મળતાં મહિલા પોલીસમાં ફરિયાદ કરી છે.