ગુજરાત
News of Wednesday, 28th July 2021

સીસોદરા ગામમાં વિધવા પુત્રવધુ ને ત્રાસ આપી કાઢી મુકનાર સાસરિયાઓ વિરુદ્ધ પુત્રવધુએ ફરીયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સીસોદરા ગામમાં પુત્રવધુ ને ત્રાસ આપી કાઢી મુકનાર સાસરિયાઓ વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ થઈ છે
 પ્રાપ્ત માહિતી અનુસાર ફરીયાદ આપનાર નિલમબેન જીગ્નેશભાઇ પ્રવિણભાઇ પટેલની વિધવા પત્ની તથા જશવંતસિંહ ભગવાનસિંહ સિંધાની દિકરી( ઉ.વ.૩૭) ( રહે. સીસોદરા ટાંકી ફળિયું તા.નાંદોદ )ના જણાવ્યા મુજબ તા.૧૭/૦૩/૨૦૨૧ ના રોજ સાંજના પોણા ચારેક વાગ્યાના અરસામા નીલમબેન ને સાસરિયાઓએ પતિના અવશાન બાદ ઘરમાંથી કાઢી મુકવા માટે ગમે તેમ ગાળોબોલી માર-મારી શારીરીક માનસીક ત્રાસ આપી ઘરમાથી કાઢી મુકી તેમજ ગઈ તા.૦૪/૦૩/૨૦૨૧ થી તા.૧૭/૦૩/ ૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન આ કામના અંકુરભાઇ રમેશભાઇ પટેલ એ બે-ત્રણ વાર નીલમબેનના શરીરે અડપલા કરી છેડતી કરી હોય આમલેથા પોલીસે સસરિયાઓમાં પ્રવિણભાઇ શામળભાઇ પટેલ (૨) કૈલાશબેન પ્રવિણભાઇ પટેલ (૩) અંકુરભાઇ રમેશભાઇ પટેલ ત્રણેય રહે.સીસોદરા તા.નાંદોદ (૪) જયવંતકુમાર ચુનિલાલભાઈ પટેલ (૫) સેજલબેન જયવંતભાઈ પટેલ (રહે.ઉમલ્લા તા.ઝઘડીયા જી.ભરૂચ) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:19 pm IST)