અમદાવાદના કુબેરનગરમાં મધ્યરાત્રીએ બે માળનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો નીચે દટાયા
અમદાવાદ: શહેરના કુબેરનગરમાં મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. અમદાવાદના એ-વોર્ડ પાસે આવેલું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તે વરસાદી માહોલ હોવાને કારણે ધ્વસ્ત થયુ હતું. મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો નીચે દબાઈ ગયા હતા.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે કુબેરનગરમાં મોડી રાત્રે બે માળનું એક મકાન ધ્વસ્ત થઈ ગયું હતું. આ મકાન જર્જરિત હાલતમાં જ હતું. સતત 5 કલાક કરતા વધુ સમય ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી હતી. જેમાં બે લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. તોપ્રેમજી ગઢવી નામના એક યુવકનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નિપજ્યું છે. આ મકાન ધરાશાયી થતા આજુબાજુના રહેવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો.