પાલનપુરના કમાલપુરમાં જમીનનું ખોટું બાનાખત કરી ઈસમ પાસેથી 41 લાખની છેતરપિંડી આચરતા ચકચાર મચી જવા પામ્યો
પાલનપુર: શહેરના કમાલપુરામાં રહેતા અને ઓરીએન્ટલ વીમા કંપનીના નિવૃત્ત મેનેજર મફતલાલ ભીખાભાઈ પરમાર પોતાને ખેતી માટે જમીન વેચાણથી જોઈતી હોઈ તેઓએ જગતસિંહ સુરાજી ડાભી રહે.ધોતા તેમજ અભેશિંગ ચતરાજી સોલંકી રહે.વરવાડિયા, તા.વડગામવાળાનો સંપર્ક કરીને વચ્ચે રાખી તા.૨૧-૧-૨૦૧૯ મહેમદપુરના કેશરસિંહ ચતરાજી રાઠોડ પાસે ખેતીની જમીન સર્વે નં.૧૭૩ ખાતા નં.૭૪૧ ક્ષેત્રફળ રહે.૭૭ આરે ૫૦ ચો.મી. રૃપિયા ૫૨.૧૧ લાખમાં સોદો કર્યો હતો. જે પેટે જમીન ખરીદનાર કેશરસિંહ જમીનના બાનાખત કરી આપતા ખરીદનારે અલગ અલગ ચેકો આપી કુલ રૃ.૪૧,૫૦,૨૧૦ આપી દીધા હતા. તેમછતાં દસ્તાવેજ કરવાને લઈ વારંવાર બાના બતાવી દસ્તાવેજ કરી ન આપતા તપાસ કરતા આ જમીન કેશરસિંહના પત્નીના નામે હોવાછતાં બાનાખતમાં પત્નીની જગ્યાએ પતિએ સહી કરી પૂર્વ આયોજીત કાવતરૃં ઘડી છેતરપિંડી કરી દસ્તાવેજ ન કરી આપી જમીન ખરીદનાર મફતલાલ ભીખાભાઈ પરમારને જાતિ અપમાનીત કરી આજે એ દસ્તાવેજ કરી નહી આપુ અને કાલેય દસ્તાવેજ નહી કરી આપીએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા છેતરપીંડીનો ભોગ બનનાર પીડિતે કેશરસિંહ ચતરાજી રાઠોડ તેમજ તેમના પત્ની ગીતાબેન સહિત અભેસિંગ ચતરાજી સોલંકી રહે.વરવાડીયા તેમજ જગતસિંહ સુરાજી ડાભી રહે.ધોતા તમામ તાલુકો વડગામ વિરુદ્ધ વડગામ પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.