News of Wednesday, 28th September 2022
ભરૂચમાં મેહુલિયાએ રમઝટ બોલાવતા અનેક વિસ્તારો તેમજ માર્ગોને પાણીથી તરબોળ કર્યા
ભારે વરસાદ વરસતા ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઇ
ભરૂચમાં આસોના ત્રીજા નોરતે મેહુલિયાએ રમઝટ બોલાવતા અનેક વિસ્તારો તેમજ માર્ગોને પાણીથી તરબોળ કરી દીધા હતા. વદસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેમજ ભારે વરસાદ વરસતા ગરબા આયોજકોમાં દોડધામ મચી ગઇ હતી.
(10:21 pm IST)