ગુજરાત
News of Thursday, 29th July 2021

વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં કર્ફ્યુ દરમ્યાન બેકરી ચાલુ રાખી કામ કરનાર 8 શખ્સોની ધરપકડ

વડોદરાઃ શહેરના તુલસીવાડી વિસ્તારમાં કરફ્યૂ દરમિયાન બેકરી ચાલુ હોવાથી કારેલીબાગ પોલીસે આઠ જણાની અટકાયત કરી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે,રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન મહાકાળી માતાના મંદિર પાસે મુખ્ય માર્ગ પર આવેલી જય માતાજી બેકરી ચાલુ હોવાથી તેમાં તપાસ કરતાં કારીગરો કામ કરતા મળી આવ્યા હતા.
પોલીસે આ અંગે કરફ્યૂ ભંગનો ગુનો નોંધી આઠ જણાની અટકાયત કરી હતી.પકડાયેલાઓમાં આકાશ રમેશ પંડિત,અનિલ ખિલાવિન કુશવાહ,ઇસરાઇલ ઇકબાલ પઠાણ,પ્રદિપ સાધુ પરમાર,સદ્દામખાન શરીફખાન પઠાણ,રવિ રામપ્રકાશ અહેરવાર, મદન રમેશ પંડિત અને દ્વારકા દેવીદિન યાદવ (તમામ રહે.૫૦ ક્વાટર્સ  પાસે,મહાકાળી મંદિર સામે, તુલસીવાડી)નો સમાવેશ થાય છે.

 

(5:35 pm IST)