અમદાવાદના કૃષ્ણનગરમાં મહિલાને નોનવેજ બનાવવાની ના કહેતા પતિએ જાનથી મારી નાખવાની ધમકી આપી કાઢી મુકતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરનાકૃષ્ણનગરમાં રહેતી મહિલાને હિંમતનગરના કાંકણોલ ગામના સાસરીયા દ્વારા મટન-ચિકન બનાવવા દબાણ કરવામાં આવતું હતું, મહિલાએ નોનવેજ બનાવવાની ના પાડતા તથા મકાન ખરીદવા રૃપિયા લઇને આવવાનું કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કૃષ્ણનગરમાં પ્રકાશ હિન્દી સ્કૂલ પાસે કમલેશ સોસાયટીમાં રહેતા નિકેશાબહેન કુલદીપસિહ હાડાએ હિંમતનગર જિલ્લાના કાંકણોલ ગામમાં રહેતા પતિ કુલદીપસિંહ જગતસિંહ હાડા સહિત સાસરીના પાંચ સભ્યો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાના ૨૦૧૮માં જ્ઞાાતિના રિતી રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ પિયરમાંથી દહેજ લાવી નથી તેમ કહી નાની નાની બાબતમાં તકરાર કરીને પતિ મારઝૂડ કરતા હતા. પિયરવાળા સાથે સંબધ રાખવા દેતા ન હતા અને ફોેન પર પણ વાતચીત કરવા દેતા ન હતા.
મટન -ચિકન બનાવવા દબાણ કરતા હતા અને નોનવેજ બનાવાની ના પાડતા તથા મકાન માટે રૃપિયા નહી લાવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ઘરમાંથી ફરિયાદી મહિલાને કાઢી મૂકી હતી. એક મહીનો થયો છતાં સાસરીવાળા તેડવા આવતા નથી, આમ સાસરીના અસહ્ય માનસિક -શારિરીક ત્રાસથી કંટાળીને સાસરીયા સામે ફરિયાદ કરતાં કૃષ્ણનગર પોલીસે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે.