સુરતના ડિંડોલીમાં નાણાકીય તકલીફ અનુભવતા બે યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરત, તા. 29 : ડિંડોલીમાં ગઈકાલે રાતે પ્રોઢએ અને ઉમરાના કરિયાણાના દુકાનદારે નાણાકીય તકલીફ પડતા આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉમરાગામમાં શંભુજી સ્ટ્રીટમાં રહેતા અને ત્યાં જ કરિયાણા સહિતની ચીજ વસ્તુ વેચવા માટે દુકાન ધરાવતા 29 વર્ષીય સંતોષકુમાર શરદભાઈ સ્વાઈ સોમવારે બપોરથી મોડીસાંજ દરમિયાન દુકાનમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.
પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે સંતોષ કુમાર મૂળ ઓરિસ્સાનો વતની હતો તેમની પત્ની ગર્ભવતી હોવાથી છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. જેથી તેનો પ્રસૂતિનો ખર્ચ છે. આવા સંજોગોમાં તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં ડિંડોલીના નવાગામ ખાતે ભરવાડ નગર ચાર રસ્તા પાસે જમના પાર્કમાં રહેતા 55 વર્ષીય પ્રહલાદભાઈ જાનકીરામભાઈ પાટીલ ગઈકાલે રાત્રે ઘરમાં બેડરૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે આર્થિક મુશ્કેલીને લીધે તે સતત ટેન્શન ના લેતા હોવાથી આ પગલું ભર્યું હતું. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.