ગુજરાત
News of Friday, 30th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો: નવા 85 કેસ નોંધાયા:વધુ 117 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી :મૃત્યુઆંક 11.034 થયો :કુલ 12.62.863 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 72.972 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાયા:રાજયમાં હાલમાં 854 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 85 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 117 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.863 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી, રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,034 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 72.972 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,69.30.328 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 854 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 850 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 85 કેસમાં અમદાવાદમાં 20 કેસ, સુરતમાં 16 કેસ,વડોદરામાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને સુરતમાં 5-5 કેસ,નવસારી, રાજકોટ કોર્પોરેશન અને વલસાડમાં 4-4 કેસ,ગાંધીનગર, જામનગર કોર્પોરેશન અને સાબરકાંઠામાં 3-3 કેસ, બનાસકાંઠા અને મહેસાણામાં 2-2 કેસ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશન,કચ્છ, પંચમહાલ,પાટણ, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે

(7:05 pm IST)