News of Wednesday, 30th November 2022
રાજ્યસભાના સાંસદ -લોહાણા સમાજના અગ્રણી અને રિલાયન્સ પરિવારના શ્રી પરિમલભાઈ નથવાણી દ્વારા મતદાન કરવા અપીલ
ગુજરાતવાસીઓને વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ફરજ બજાવવા ખાસ અપીલ કરી
અમદાવાદ :રાજ્યસભાના સાંસદ -લોહાણા સમાજના અગ્રણી અને રિલાયન્સપરિવારના શ્રી પરિમલભાઈ નથવાણીએ મતદાન કરવા અપીલ કરી છે , શ્રી પરિમલભાઈ નથવાણીએ ગુજરાતવાસીઓને વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની ફરજ બજાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી આવી છે આગામી તા, 1 અને તા, 5ના રોજ મતદાન છે અને આપણા માટે એ અગત્યનો છે લોકશાહીમાં મતની કિંમત હોય છે, જો આપણે મત ના આપીએ તો આપણને બોલવાનો અધિકાર પણ નથી ,
શ્રી પરિમલભાઈ નથવાણીએ વધુમાં કહ્યું હતું કે મત એ આપણો અધિકાર છે, માટે સૌ કોઈને અપીલ છે કે આગામી મતદાનના દિવસે સમય કાઢીને અચૂક મતદાન કરજો,જો આપણે વોટ નહીં આપીએ તો નુકશાન આપણને જ થશે માટે મતદાન અવશ્ય કરવું જોઈએ
(7:17 pm IST)