રાજ્યમાં કોરોના હાર્યો :નવા 9 કેસ નોંધાયા:વધુ 8 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.204 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 5663 લોકોનું રસીકરણ કરાયું
મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 199 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 8 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,204 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 5663 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.66.604 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 199 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, જયારે 199 દર્દીઓ સ્ટેબલ છે. .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9 કેસમાં વડોદરા કોર્પોરેશનમાં 3 કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ, ગાંધીનગર કોર્પોરેશન, રાજકોટ, સુરત કોર્પોરેશન અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે