ગુજરાત
News of Monday, 31st May 2021

રાજ્યમાં કોરોના થાક્યો : નવા 1681 કેસ નોંધાયા : વધુ 4721 દર્દીઓ સ્વસ્થ થયા :વધુ 18 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 9833 થયો : કુલ 7.66.991 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે 2.00.317 લોકોનું રસીકરણ કરાયું

વડોદરામાં 327 કેસ, અમદાવાદમાં 270 કેસ, સુરતમાં 217 કેસ, રાજકોટમાં 127 કેસ, જૂનાગઢમાં 88 કેસ, પોરબંદરમાં 71 કેસ, જામનગરમાં 65 કેસ, ગીર સોમનાથમાં 45 કેસ, નવસારીમાં 45 કેસ, ભરૂચમાં 41 કેસ, આણંદમાં 36 કેસ, પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33 કેસ, વલસાડમાં 32 કેસ, બનાસકાંઠા અને કચ્છમાં 30-30 કેસ, અમરેલીમાં 28 કેસ નોંધાયા : હાલમાં 32.345 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે આજે રાજ્યમાં 1681 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ 4721 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા 1681 કેસ નોંધાયા છે જયારે વધુ 4721 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 18 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 9833 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 94.79 ટકા થયો છે

  રાજ્યમાં હાલ 32.345 એક્ટિવ કેસ છે, જેમાંથી 496 લોકો વેન્ટિલેટર પર અને 31.849 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 7.66.991 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

 રાજ્યમાં આજે વધુ 2.00.317 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે આ સાથે રાજ્યમાં કુલ 1,70.94.620 લોકોનું રસીકરણ થયું છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 1681 કેસમાં વડોદરામાં 327 કેસ, અમદાવાદમાં 270 કેસ, સુરતમાં 217 કેસ, રાજકોટમાં 127 કેસ, જૂનાગઢમાં 88 કેસ,પોરબંદરમાં 71 કેસ ,જામનગરમાં 65 કેસ, ગીર સોમનાથમાં 45 કેસ,નવસારીમાં 45 કેસ,ભરૂચમાં 41 કેસ,આણંદમાં 36 કેસ,પંચમહાલમાં 34 કેસ, ખેડામાં 33 કેસ, વલસાડમાં 32 કેસ,બનાસકાંઠા અને કચ્છમાં 30-30 કેસ, અમરેલીમાં 28 કેસ નોંધાયા છે

(7:41 pm IST)