ગુજરાત
News of Saturday, 31st July 2021

મહિલાને વીમાનો દાવો ચૂકવી આપવા કંપનીને આદેશ

વીમા કંપનીએ મોડેથી કરેલા દાવો ફગાવ્યો હતો : પુરુષપ્રધાન સમાજમાં મહિલાને પતિના આર્થિક વ્યવહાર અંગે કોઈ માહિતી ના હોય તે શક્ય હોવાનું તારણ

અમદાવાદ, તા.૩૧ : વીમા કંપનીના નિયમ અનુસાર, પોલિસી ધારકના મોત બાદ નિયત સમયમાં ક્લેમ ના કરવા બદલ એક મહિલાનો દાવો ફગાવાઈ દેવાયો હતો. જોકે, મામલો ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચ સમક્ષ પહોંચતા મહિલાને દાવો ચૂકવી આપવા વીમા કંપનીને ઓર્ડર કરવામાં આવ્યો હતો. પંચે જણાવ્યું હતું કે પુરુષપ્રધાન સમાજમાં મહિલાને પતિના આર્થિક વ્યવહાર અંગે કોઈ માહિતી ના હોય તે શક્ય છે. કારણસર મહિલા દ્વારા મોડેથી કરવામાં આવેલો દાવો ફગાવી શકાય નહીં.

રાજકોટના રહેવાસી હેતલ મહેતાના પતિ મનિષ મહેતાનું ૨૦૧૪માં અવસાન થયું હતું. તેઓ નાગરિક સહકારી બેંક લિમિટેડના શેરહોલ્ડર હતા, જેના દ્વારા તેમને ન્યૂ ઈન્ડિયા અશ્યોરન્સ કુ. લિમિટેડ દ્વારા લાખ રુપિયાનો જીવન વીમો મળ્યો હતો. જોકે, અંગે કોઈ માહિતી ના હોવાથી હેતલ મહેતાએ પતિના મોતના દોઢ વર્ષ બાદ વીમાની રકમ મેળવવા દાવો કર્યો હતો.

જોકે, કંપનીએ નિયમ પ્રમાણે વીમાધારકના મૃત્યુના ૩૦ દિવસમાં દાવો ના કરાયો હોવાનું કારણ દર્શાવી દાવાને નકારી દીધો હતો. તેમણે સ્થાનિક ગ્રાહક સુરક્ષા અદાલતમાં અંગે અપીલ કરી હતી, પરંતુ ત્યાં તેમની અપીલ નકારી દેવાઈ હતી. ત્યારબાદ હેતલ મહેતાએ રાજ્ય સ્તરના કમિશનમાં અપીલ કરી હતી. જેના જ્યુડિશિયલ મેમ્બર એમ.જે. મહેતાએ વીમા કંપનીને માનવીય અભિગમ અપનાવવાની ટકોર કરતા જણાવ્યું હતું કે પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને ખાસ મહત્વ નથી અપાતું અને પરિવારના સભ્યોની નાણાંકીય લેવડ-દેવડ અંગે પણ તેમને માહિતી નથી હોતી.

આપણી સામાજીક સ્થિતિ એવી છે કે નાણાંકીય બાબતો વિશે મહિલાઓને કંઈ જણાવાતું પણ નથી હોતું. કમિશને નોંધ્યું હતું કે મૃતક મનિષ મહેતાએ પોતે બેંકના શેર હોલ્ડર હોવા તેમજ તેના દ્વારા પ્રાપ્ત થતાં વીમાકવચ અંગે અરજદારને ના જણાવ્યું હોય તે શક્ય છે. તેમને અંગે જ્યારે જાણ થઈ ત્યારે તેમણે દાવો માંડ્યો, જેમાં દોઢ વર્ષ જેટલો સમય વિતિ ગયો. અરજદારની તરફેણમાં ચુકાદો આપતા કમિશને જણાવ્યું હતું કે વીમા કંપની તેમને લાખ રુપિયા તેમજ કાયદાકીય ખર્ચ પેટે પાંચ હજાર વધારાના ચૂકવી આપે.

(7:33 pm IST)