Gujarati News

Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ તા.૧૭મી સપ્ટેમ્બરે વધુ ૮ હજાર જેટલા નિરાધાર બાળકોને રાજકોટથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ડી.બી.ટી દ્વારા સહાય અપાશે : માતા-પિતા બન્ને ગુમાવેલા ૧ હજાર બાળકોને માસિક રૂ. ૪૦૦૦ની સહાયનો લાભ અપાયો : કોરોનાકાળમાં કોરોના જેવી ગંભીર બિમારીથી માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને ૧૮ વર્ષની વય સુધી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે જ :- સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઇશ્વરભાઇ પરમાર : માતા કે પિતા બંન્નેમાંથી કોઇપણ એકનું મૃત્યુ થયેલું હોય તેવા ૪૦૦૦ જેટલા બાળકોને માસિક રૂ. ર૦૦૦ની સહાયનો લાભ રાજ્ય સરકારે આપ્યો : યોજનાનો લાભ મેળવવા માટેની કટ ઓફ ડેઇટ કોરોનાના કેસોનું પ્રમાણ નહિવત થતા તા.૩૦ જૂન-ર૦ર૧ કરવામાં આવી અરજી કરવાની તા. ૩૧ ઓગસ્ટ-૨૦૨૧ સુધીની રાખવામાં આવી હતી access_time 4:00 pm IST